હું હવે ટીવી પર ફિક્શન શો નહીં કરું : આર. માધવન

06 May, 2015 05:03 AM IST  | 

હું હવે ટીવી પર ફિક્શન શો નહીં કરું : આર. માધવન


તે કહે છે, ‘હું હવે ટીવી પર આવતા ફિક્શન શોમાં કામ નહીં કરું. હું માનું છું કે એક ફિલ્મસ્ટાર હંમેશાં ફિલ્મસ્ટાર રહે છે. ટીવી પર હમણાં કેટલાક ખૂબ જ સારા કલાકારો છે. તેઓ તેમનું કામ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે, પરંતુ જ્યારે ફિલ્મ-કલાકાર ટીવીમાં કામ કરે છે ત્યારે તે એમાં જ ફસાઈ જાય છે. મેં ટીવી પર આવતા પ્રોગ્રામમાં મારી ફિલ્મો કરતાં પણ સારું પર્ફોર્મ કર્યું છે, પરંતુ જ્યારે લોકો એક વાર એ જોઈ લે છે ત્યાર બાદ એને ભૂલી જાય છે. એની અસર એટલી અસરકારક નથી હોતી. એથી ફિલ્મ અને ટીવી જુદાં-જુદાં છે. હૉલીવુડમાં ટીવીની ક્વૉલિટી ફિલ્મો કરતાં પણ સારી હોય છે.’

માધવન અત્યારે તેની આગામી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ રિટન્ર્સ’નું પ્રમોશન કરી રહ્યો છે. તે ફિલ્મ વિશે જણાવતાં કહે છે, ‘આ ફિલ્મની વાર્તા લગ્નનાં ચાર વર્ષ પછી શરૂ કરવામાં આવી રહી છે, જેમાં જીવનમાં કેવા બદલાવો જોવા મળે છે અને કેવી-કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે એની વાત કરવામાં આવી છે. એક રીતે જોવા જઈએ તો આ ફિલ્મ ખરા અર્થમાં સીક્વલ ફિલ્મ છે.’