મેં ક્યારેય બજેટને ધ્યાનમાં રાખીને ફિલ્મ પસંદ નથી કરી : આયુષ્માન ખુરાના

22 January, 2021 04:29 PM IST  |  Mumbai | Mumbai Correspondent

મેં ક્યારેય બજેટને ધ્યાનમાં રાખીને ફિલ્મ પસંદ નથી કરી : આયુષ્માન ખુરાના

મેં ક્યારેય બજેટને ધ્યાનમાં રાખીને ફિલ્મ પસંદ નથી કરી : આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે તેણે ક્યારેય બજેટને ધ્યાનમાં રાખીને ફિલ્મની પસંદગી નથી કરી. આયુષ્માનને અત્યારે બૉલીવુડમાં બૅન્કેબલ ઍક્ટર તરીકે ગણવામાં આવે છે. તેમ જ તેની ફિલ્મોની પસંદગી પણ એકદમ હટકે છે. તે હાલમાં ઘણી ફિલ્મો લઈને આવી રહ્યો છે. તેની ફિલ્મોની પસંદગી વિશે પૂછતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મેં ક્યારેય ફિલ્મોનું બજેટ અથવા તો એના સ્કેલના આધારે ફિલ્મની પસંદગી નથી કરી. કન્ટેન્ટના આધારે ફિલ્મ કેટલી મોટી છે એના આધારે મેં ફિલ્મ પસંદ કરી છે. મારા માટે એક મોટી ફિલ્મ દેશભરમાં કોઈ પણ ઇશ્યુને લઈને વાતચીતનો માહોલ ઊભો કરવા સક્ષમ હોવી જોઈએ. આ વિશે લોકોએ ચિંતા વ્યક્ત કરવી જોઈએ. એક મોટી ફિલ્મ આપણને વિચારતા અને સવાલો ઊભા કરવાની સાથે જે-તે પ્રૉબ્લેમ વિશે સોસાયટીમાં સોલ્યુશન પણ આપતી હોવી જોઈએ. મને એવી ફિલ્મો કરવામાં જ ઇન્ટરેસ્ટ છે.’

bollywood bollywood news bollywood gossips ayushmann khurrana