હું મારા પર્ફોર્મન્સને વારંવાર નથી જોતો : રાજકુમાર રાવ

12 November, 2020 08:47 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

હું મારા પર્ફોર્મન્સને વારંવાર નથી જોતો : રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવનું કહેવું છે કે તે પોતાના પર્ફોર્મન્સને વારંવાર નથી જોતો. તેને પોતાની ફિલ્મો પર ગર્વ છે. ૨૦૧૩માં આવેલી ‘શાહિદ’માં તેના અભિનયને જોતાં તેને નૅશનલ અવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. તેની સોશ્યલ-કૉમેડી ‘છલાંગ’ રિલીઝને આરે છે. તેને પૂછવામાં આવ્યું હતું કે શું તે પોતાની ફિલ્મોના કામને જુએ છે? એનો જવાબ આપતાં રાજકુમારે કહ્યું હતું કે ‘મને મારી પહેલાંની ફિલ્મો પર ગર્વ છે, એના કારણે જ લોકો મને ઓળખતા થયા છે. ખરુ કહું તો હું મારા પર્ફોર્મન્સને સતત નથી જોતો. જોકે ક્યાંક ને ક્યાંક થોડા ભાગમાં જોઈ લઉં છું. મને હંમેશાં એવું લાગ્યા કરે છે કે હું એને હજી પણ સારી રીતે કરી શક્યો હોત. તમે તમારી લાઇફમાં વિકાસ કરો છો, તમે વધુ ને વધુ પરિપક્વ થાઓ છો અને પરિવર્તનને સમજો છો. એથી એ લાગણી જરૂર આવે છે.’

bollywood bollywood news bollywood gossips rajkummar rao entertainment news