હું સખત કૉમ્પિટિશનમાં નથી માનતો : દિવ્યેન્દુ શર્મા

19 November, 2020 09:49 PM IST  |  New Delhi | IANS

હું સખત કૉમ્પિટિશનમાં નથી માનતો : દિવ્યેન્દુ શર્મા

દિવ્યેન્દુ શર્મા

દિવ્યેન્દુ શર્મા સખત કૉમ્પિટિશનમાં નથી માનતો. વેબ-સિરીઝ ‘મિર્ઝાપુર’માં ભજવેલા મુન્ના ભૈયાના પાત્રથી તેને ખૂબ લોકપ્રિયતા મળી છે.

દિવ્યેન્દુએ ‘પ્યાર કા પંચનામા’થી ઍક્ટિંગની શરૂઆત કરી હતી. બાદમાં તેણે ‘ચશ્મે બદ્દુર’, ‘દિલ્લીવાલી ઝાલિમ ગર્લફ્રેન્ડ’, ‘ટૉઇલેટ : એક પ્રેમ કથા’, અને ‘બત્તી ગુલ મીટર ચાલુ’માં પણ કામ કર્યું હતું.

પોતાની જર્ની વિશે દિવ્યેન્દુએ કહ્યું હતું કે ‘નવ વર્ષની અંદર જો તમને ચારથી પાંચ એવી ફિલ્મો મળે અથવા તો બે સારાં કૅરૅક્ટર્સ મળે જેના પર તમને ગર્વ હોય તો એ સારી વાત છે. મને લાગે છે કે હું નસીબદાર છું. હું તો એક આળસુ વ્યક્તિ છું. હું એવો નથી જે સખત કૉમ્પિટિશનમાં માનતો હોય. એથી હું એવી વ્યક્તિ નથી જે બહાર જાય અને જુએ કે શું થઈ રહ્યું છે. હું એક વ્યક્તિ તરીકે અને એક કલાકાર તરીકે કન્ટેન્ટ વ્યક્તિ છું. હું વધુ કામ કરવા માગું છું. હું અલગ સ્ટોરીઝ અને કૅરૅક્ટર્સ કરવા માગું છું. મારા માટે મારી જર્ની સન્માનજનક રહી છે.’

divyendu sharma bollywood