બાળકો સ્ટિરિયોટાઇપમાં બંધાઈ ન જાય એની હું ખાતરી રાખું છું : કરણ જોહર

10 May, 2020 08:40 PM IST  |  Mumbai Desk | Agencies

બાળકો સ્ટિરિયોટાઇપમાં બંધાઈ ન જાય એની હું ખાતરી રાખું છું : કરણ જોહર

કરણ જોહર પોતાના બાળકો સાથે

કરણ જોહરનું કહેવું છે કે તે એ વાતની ખાતરી રાખશે કે તેનાં બાળકો એક જ પ્રકારના સ્ટિરિયોટાઇપમાં બંધાઈને ન રહે. તેનાં ત્રણ વર્ષનાં ટ્વિન્સનાં નામ યશ અને રુહી છે. બાળકોને લઈને કરણ જોહરે કહ્યું હતું કે ‘આપણે બધા પ્રાઉડ પેરન્ટ્સ છીએ અને આપણાં બાળકોને આપણે ખૂબ પ્રેમ પણ કરીએ છીએ. બાળકોને આપણે પ્રેમ આપવાની સાથે જ તેમનું ધ્યાન અને કાળજી પણ રાખીએ છીએ. આપણે તેમનાં ઘરને સુંદર બનાવીએ છીએ. તેઓ તેમનાં ઘરને પ્રેમ કરે એવું બનાવીએ છીએ. આપણે તેમને એવો અહેસાસ કરાવીએ છીએ કે ઘર એ છે જ્યાં હૃદય વસતું હોય. જોકે ઘણી વખત આપણે ભૂલ કરી બેસીએ છીએ કે આપણે તેમને એવો અનુભવ કરાવીએ છીએ કે ઘર માત્ર એક રેસિડન્સ છે. જોકે એ અયોગ્ય છે. આપણો ગ્રહ પણ એક ઘર જ છે. મેં એવી કેટલીક બાબતો તેમની સાથે ખૂબ નાની ઉંમરમાં જ કરી હતી. તેમને ભાવનાત્મક પ્રોત્સાહન આપવાની સાથે જ મેં એ વાતની પણ ખાતરી રાખી હતી કે મારાં બાળકો સ્ટિરિયોટાઇપમાં બંધાઈ ન જાય.’

karan johar bollywood bollywood news bollywood gossips