દેશમાં રહેલી ફ્રીડમ ઑફ સ્પીચની મને ખુશી છે : અદા શર્મા

15 July, 2023 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધ કેરલ સ્ટોરી’ પર કરેલી કમલ હાસન અને નસીરુદ્દીન શાહની કમેન્ટ પર તેણે આવું કહ્યું

અદા શર્મા

‘ધ કેરલ સ્ટોરી’માં જોવા મળેલી અદા શર્માએ જણાવ્યું છે કે દેશમાં લોકોને બોલવાની આઝાદી છે એની તેને ખુશી છે. આ વાતે તેણે એટલા માટે કહી કેમ કે તેની આ ફિલ્મને લઈને કમલ હાસન અને નસીરુદ્દીન શાહે કમેન્ટ કરી હતી. ‘ધ કેરલ સ્ટોરી’ રિયલ સ્ટોરી પર આધારિત હતી. આ ફિલ્મ જોઈને લોકોને કેરળની વાસ્તવિકતાની જાણ થઈ હતી. ફિલ્મને અનેક રાજ્યોમાં ટૅક્સ-ફ્રી કરવામાં આવી હતી. બોલવાની આઝાદી વિશે અદા શર્માએ કહ્યું કે ‘આપણા દેશમાં ફ્રીડમ ઑફ સ્પીચને હું માણું છું. લોકો ફિલ્મ જોયા વગર જ એની નિંદા કરે છે અને જાહેરમાં એનું અપમાન કરે છે. વર્તમાનમાં કોઈ પણ કોઈના પણ માટે કાંઈ પણ કહે છે. આવું કરીને તેને તો કોઈ તકલીફ નથી થતી. આ જ વસ્તુ આપણા ભારતની વિશેષતા છે. મને મારા દેશ પર પ્રેમ છે. અલગ વિચારધારા ધરાવતા લોકો પણ સહઅસ્તિત્વ ધરાવે છે. આ એક સારી બાબત છે કે આવા ફેમસ ઍક્ટર્સે ફિલ્મને લઈને પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં. આમ છતાં દર્શકોએ તો આતંકવાદના વિરોધમાં ઊભા રહીને ફિલ્મને સપોર્ટ કરતાં થિયેટરમાં જઈને આ ફિલ્મ જોઈ.’

the kerala story entertainment news bollywood bollywood news bollywood gossips