મારા ઘરની બહાર મીડિયા થકી સોસાયટી છોડી દેવાકહેવાઇ રહ્યું છે:સંદીપ સિંહ

08 September, 2020 07:58 PM IST  |  Mumbai | Agencies

મારા ઘરની બહાર મીડિયા થકી સોસાયટી છોડી દેવાકહેવાઇ રહ્યું છે:સંદીપ સિંહ

સંદિપ સિંહ

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ તમામ પ્રક્રિયાઓ પૂરી કરનાર સંદીપ એસ. સિંહને લઈને અનેક અટકળો ચાલી રહી છે. સુશાંતની ફૅમિલી સંદીપને નથી ઓળખતી એવી વાત તેઓ કહી રહ્યા છે. એ તમામ વાતોને સમાપ્ત કરવા માટે સુશાંતની બહેન મીતુસિંહ સાથે થયેલી ચૅટને સંદીપે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. એ ચૅટને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સંદીપે કૅપ્શન આપી હતી, ‘દરેક એમ કહે છે કે તમારી ફૅમિલી મને નથી ઓળખતી. હા, એ વાત સાચી છે. હું કદી પણ તમારી ફૅમિલીને નથી મળ્યો. મારી એ ભૂલ થઈ કે મેં શહેરમાં એકલી રહેતી બહેનને તેના ભાઈની અંતિમક્રિયા પૂરી કરવામાં મદદ કરી હતી. હું ઍમ્બ્યુલન્સના ડ્રાઇવર સાથે શું કામ વાત કરતો હતો એ તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકવા માગું છું.’
સંદીપ સાથે થયેલી વાતચીત દરમ્યાન તેને પૂછવામાં આવ્યું હતું કે તે સુશાંતના સંપર્કમાં કેમ નહોતો? એનો જવાબ આપતાં સંદીપે કહ્યું હતું કે ‘તે એક સ્ટાર હતો. તે ‘છિછોરે’ અને ‘દિલ બેચારા’માં કામ કરી રહ્યો હતો. ૨૦૧૯ની જાન્યુઆરીથી મેં ‘પીએમ નરેન્દ્ર મોદી’નું કસ્ટિંગ શરૂ કર્યું હતું. શું એ કોઈ મજાક હતી? શું હું કોઈ કૉમેડી ફિલ્મ બનાવી રહ્યો હતો? એ એક મોટી જવાબદારી હતી. ફિલ્મની રિલીઝ વખતે શું થયું એ સૌકોઈ જાણે છે. હું ટ્રૉમામાંથી પસાર થયો હતો. એથી હું મારા કામમાં વ્યસ્ત હતો અને તે તેના કામમાં બિઝી હતો. જોકે એનો અર્થ એ નથી કે અમને એકબીજાની કાળજી નહોતી. અમે જ્યારે પણ ફ્રી થતા ત્યારે એકમેક સાથે વાત કરતા હતા.’

મારા પર આરોપ મૂકનારાઓ એ દિવસે ક્યાં હતા, જ્યારે સુશાંતનું મૃત્યુ થયું હતું : સંદીપ સિંહ

ફિલ્મમેકર સંદીપ એસ. સિંહે જણાવ્યું હતું કે જે લોકો આજે મારા પર આરોપ મૂકી રહ્યા છે તેઓ એ વખતે ક્યાં હતા જ્યારે સુશાંતનું નિધન થયું હતું. સુશાંતે ૧૪ જૂને બાંદરાના પોતાના ઘરે સુસાઇડ કર્યું હતું. એ વખતે સુશાંતની ફૅમિલીને સપોર્ટ કરવા માટે તે ગયો હતો. એને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. એ વિશે સંદીપે કહ્યું હતું કે ‘જે લોકો મારા પર વિવિધ આરોપ મૂકી રહ્યા છે એ લોકો સુશાંતના અવસાનના સમાચાર મળ્યા બાદ તેના ઘરે કેમ ન ગયા? કે હૉસ્પિટલ કે તેની અંતિમવિધિમાં કેમ હાજર ન રહ્યા. તેઓ તેની ફૅમિલીના પડખે કેમ ન ઊભા રહ્યા?’
હૉસ્પિટલમાં પહોંચ્યા બાદ સંદીપે પોલીસને થમ્સઅપ દેખાડ્યો હતો એને લઈને પણ તેની નિંદા કરવામાં આવી રહી છે. એના પર ચોખવટ કરતાં સંદીપે કહ્યું હતું કે ‘હું જ્યારે મીતુદીદી (સુશાંતની બહેન) સાથે કૂપર હૉસ્પિટલ પહોંચ્યો ત્યારે કૉન્સ્ટેબલે મને પૂછ્યું કે સંદીપ સિંહ કોણ છે? તો એનો જવાબ આપવા માટે મેં જોરથી ચીસો પાડવાને બદલે અથવા તો મારો માસ્ક હટાવવાને બદલે મેં થમ્સઅપ દેખાડ્યો હતો, એમાં મેં ખોટું શું કર્યું હતું? શું ફૅમિલીને સપોર્ટ કરતી વખતે મને મારા હાવભાવનું પણ ધ્યાન રાખવાનું હતું? લૉકડાઉન દરમ્યાન મેં સુશાંતસિંહને મેસેજ કર્યો હતો, ‘ભાઈ’. જોકે મને એનો રિપ્લાય મળ્યો નહોતો, કારણ કે મારી પાસે તેનો નવો નંબર નહોતો. જો તેણે નંબર બદલ્યો હોય તો એમાં મારો શું વાંક?’

bollywood bollywood news bollywood gossips sushant singh rajput