01 November, 2014 10:52 AM IST |
મુંબઈ,તા.1 નવેમબર
લોયર દિપેશ મેહતાએ આઈએએનએસને કહ્યુ હતુ કે હવે તેમના કાયદેસર રીતે છુટાછેડા થઈ ગયા છે.આજે સવારે લગભગ 10.30 વાગ્યાની આસપાસ આ નિર્ણય થયો છે.જો તે અત્યારે તેમની વચ્ચે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કાગળ પર થઈ નથી.તમામ સમજૂતીઓ આપસી વિશ્વાસથી થઈ છે.
રિતિક અને સુઝાનના લગ્ન વર્ષ 2000માં થયા હતા અને 14 વર્ષના લગ્નજીવનને માણ્યા બાદ વર્ષ 2014માં તેઓ એકબીજાથી અલગ થઈ ગયા.રિતિક અને સુઝાનના બે દિકરા છે રેહાન અને રિધાન.ગયા વર્ષે લગભગ ડિસેમ્બરમાં તેમણે એકબીજાથી છુટા પડવાનો નિર્ણય કર્યો હતો.બંને પક્ષે કોર્ટમાં અંગત સમજૂતીથી ડિવોર્સની અરજી કરી હતી.કોઈ પણ પક્ષે એકબીજા પર આરોપ નથી મૂક્યા.
જો કે તેમના છુટાછેડાને લઈને 100 કરોડ રૂપિયાના સેંટલમેન્ટની અફવાઓ પણ સામે આવી હતી.પરંતુ સુજાને આ વાતને અફવા ગણાવી હતી અને સાથે આ સમાચાર અંગે બહુ દુઃખ અને નિરાશા પણ બતાવી હતી.