આશા રાખું છું કે બૉલીવુડની સેલિબ્રિટીઝ મરાઠી ફિલ્મની ગુણવત્તા નહીં બગાડે : મહેશ માંજરેકર

09 February, 2017 05:20 AM IST  | 

આશા રાખું છું કે બૉલીવુડની સેલિબ્રિટીઝ મરાઠી ફિલ્મની ગુણવત્તા નહીં બગાડે : મહેશ માંજરેકર

આ વિશે વધુ જણાવતાં મહેશ માંજરેકર કહે છે, ‘પ્રિયંકા ચોપડાએ મરાઠી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. જૉન એબ્રાહમે પણ જાહેરાત કરી છે કે તે મરાઠી ફિલ્મ પ્રોડ્યુસ કરશે. શાહરુખ ખાન અને રોહિત શેટ્ટી પણ મરાઠી ફિલ્મ બનાવવા માગે છે. મરાઠી ફિલ્મ વિશે જાગ્રતતા છે, પરંતુ હું એવી આશા રાખી રહ્યો છું કે તેઓ બૉલીવુડ જેવી ફિલ્મો બનાવીને મરાઠી ફિલ્મની ગુણવત્તા બગાડે નહીં. ‘દુનિયાદારી’ અને ‘મી શિવાજીરાજે ભોસલે બોલતોય’ પહેલાં બૉલીવુડને ક્યારેય મરાઠી ફિલ્મોથી ભય નહોતો લાગ્યો. આ ફિલ્મોની સફળતા બાદ તેઓ હિન્દીમાં જે ફિલ્મ બનાવવા માગે છે એ જ ફિલ્મો મરાઠીમાં પણ બનાવવા માગે છે. તેમણે મરાઠીમાં ‘નો એન્ટ્રી’ બનાવી હતી, જેની કોઈ જરૂર નહોતી. તેમનું એવું માનવું છે કે તેઓ મરાઠી દર્શકોને શીખવશે કે સિનેમા શું છે, પરંતુ તેમનો દર્શકો દ્વારા સ્વીકાર કરવામાં નહોતો આવ્યો.’