30 July, 2020 05:24 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent
સોનુ નિગમ (ફાઇલ ફોટો)
આજે સોનુ નિગમ પોતાનો 47મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે સોનુ નિગમનો જન્મ 30 જુલાઇ 1973ના રોજ હરિયામાના ફરીદાબાદમાં થયો. સોનુ નિગમને જેટલું તેમના ગીતો માટે ઓળખવામાં આવે છે તેટલા જ તેઓ વિવાદોને કારણે પણ ચર્ચામાં રહે છે. સોનુ નિગમ અને વિવાદો જાણે એકબીજા સાથે જ રહે છે. તેમને સોશિયલ મીડિયા પર હંમેશાં બેબાક અંદાજમાં બોલતાં જોવા મળે છે. તે ઘણી વાર પોતાના નિવેદનોને કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. આજે સોનુ નિગમના જન્મદિવસે જાણીએ તેમની સાથે જોડાયેલી કેટલીક કોન્ટ્રોવર્સી વિશે...
ટી-સીરીઝ કંપની સાથે વિવાદ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ બોલીવુડમાં નેપોટિઝ્મને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. આ દરમિયાન નેપોટિઝ્મને લઈને સોનુ નિગમે પણ ટી-સીરિઝના માલિર ભૂષણ કુમાર પર નિશાનો સાધતા પોતાનો એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયો દ્વારા સોનુએ ઘણાં ચોંકાવનારા ખુલાસા પણ કર્યા. તો ભૂષણ કુમારની પત્ની દિવ્યા કુમાર ઘોષાલે પણ તેમને જવાબ આપતાં પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.
અઝાન વિવાદ
ઘણાં સમય પહેલા સોનુ નિગમને અઝાન બાબતે આપત્તિજનક ટ્વીટ કરવું ભારે પડ્યું હતું. ત્યાર બાદ તેમની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ હતી. અઝાન અંગે ટ્વીટ કર્યા બાદ તેમના વિરુદ્ધ કેસ નોંધાયો હતો. હકીકતે, તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે, "લાઉડસ્પીકરમાં આપવામાં આવતી અઝાનને કારણે ઉંઘ બગડે છે. તે આ ધાર્મિક કટ્ટરતાને કેમ સહન કરે. આમ કરવું ગુંડાગર્દી છે." આ ટ્વીટે મોટો વિવાદ નીપજાવ્યો. તેના પછી તેમને પોતાનું મુંડન કરાવવું પડ્યું અને તેમણે ટ્વિટર પણ છોડી દીધું.
રાધેમા બાબતે વિવાદ
સોનુ નિગમને પોતાને દેવીનો અવતાર જણાવનાર રાધેમાને સાથ આપવું પણ ભારે પડ્યું હતું. વર્ષ 2015માં સોનુ નિગમે ટ્વિટર પર રાધેમાને દેવી કાલીકાનું રૂપ કહ્યું હતું ત્યાર બાદ તેમને ટ્વિટર પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યા.