31 October, 2012 05:41 AM IST |
રાગિણીને સાઇન કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરતાં અનિલ શર્મા કહે છે, ‘તે બહુ સારી ઍક્ટ્રેસ છે અને તેનો ચહેરો પણ બહુ સંવેદનશીલ છે. હું એવી ઍક્ટ્રેસની શોધમાં હતો જે સારી રીતે આ મજબૂત પાત્ર ભજવી શકે અને રાગિણી એના માટે એકદમ યોગ્ય છે. ફિલ્મમાં રાગિણી ભલે હીરોની બહેન હોય, પણ તેનો રોલ ટચૂકડો નથી. ફિલ્મમાં તેનો રોલ બહુ અગત્યનો છે. ફિલ્મમાં ભાઈ-બહેનના સંબંધનો અલાયદો મજબૂત ઇમોશનલ ટ્રૅક છે.’
રાગિણી ડિસેમ્બર મહિનાથી ઇન્દોરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે અને પછી તમામ કલાકારો ભોપાલ શિફ્ટ થઈ જશે.