દેવસા’બની અંતિમક્રિયા શનિ કે રવિવારે : અસ્થિ મુંબઈ લવાશે

07 December, 2011 09:11 AM IST  | 

દેવસા’બની અંતિમક્રિયા શનિ કે રવિવારે : અસ્થિ મુંબઈ લવાશે

 

હોટેલમાં તેમને હાર્ટઅટૅક આવ્યો હોવાને લીધે લંડનના નિયમો અનુસાર મૃત્યુના સાત દિવસ પછી પાર્થિવ દેહ મૃતકના કુટુંબીજનોને સોંપવામાં આવે છે. આ કારણે જ હજી દિવસ ફાઇનલ કરવામાં નથી આવ્યો.

કુટુંબની એક નજીકની વ્યક્તિના કહેવા મુજબ લંડનમાં અંતિમક્રિયા માટે તેમનાં પત્ની કલ્પના કાર્તિક (મોના આનંદ) અને પુત્રી દેવિના ગઈ કાલે રાતે બ્રિટન માટે નીકળી ગયાં છે. તેમની અંતિમક્રિયા પછી મુંબઈમાં તેમની યાદગીરીમાં એક પ્રાર્થનાસભા રાખવામાં આવશે. બાંદરામાં આવેલા મેહબૂબ સ્ટુડિયોમાં આ પ્રાર્થનાસભાનું આયોજન થશે. આ સ્ટુડિયોમાં દેવ આનંદનો એક મેક-અપ રૂમ અત્યારે પણ છે.