17 August, 2020 05:41 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
નિશિકાંત કામત
જોન અબ્રાહમ(John Abraham)ની ફોર્સ(Force) અને અજય દેવગન(Ajay Devgn)ની દ્રશ્યમ(Drishyam) ફિલ્મના ડિરેક્ટર નિશિકાંત કામત(Nidhikant Kamat)નું 50 વર્ષની ઉંમરે લીવર સિરોર્સિસના લીધે નિધન થયું છે. આજે એટલે કે સોમવારે સવારે તેમના નિધનના ખોટાં સમાચાર વાયરલ થયા હતા જેના પછી બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે ચોખવટ કરી હતી કે નિશિકાંત કામત જીવી રહ્યા છે. જો કે હવે રિતેશ દેશમુખે આ વાતની પુષ્ઠિ કરી છે બોલીવુડ દિગ્દર્શક નિશિકાંત કામતનું નિધન થઈ ગયું છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, 31મી જુલાઈએ તે હૈદરાબાદના ગચીબોવલી સ્થિત એઆઈજી(AIG) હૉસ્પિટલમાં દાખલ થયા હતા. લીવરની બિમારી ઉપરાંત તેમને અન્ય ઈન્ફેક્શન પણ હતા. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, હૅપોટોલોજીસ્ટ અને અન્ય વરિષ્ઠ કન્સલટન્ટ્સ સમાવિષ્ટ એક ટીમ કામતની કાળજી કરી રહી હતી.
ફોર્સ અને દ્રશ્યમ ઉપરાંત કામતે ઈરફાન ખાનની મદારી, જોન અબ્રાહમની રોકી હેન્ડસમ વગેરે ફિલ્મ ડિરેક્ટ કરી છે. ડોંબિવલી ફાસ્ટ અને લય ભારી જેવી મરાઠી ફિલ્મ પણ બનાવી છે. રોકી હેન્ડસમ અને મરાઠી ફિલ્મ સતચ્યા આત ગરાતમાં તેમણે પોતે ઍક્ટર તરીકે કામ પણ કર્યું છે.