શૂજિત સરકારે ઝાડને ગળે લગાવવાની સલાહ આપી

13 January, 2021 10:45 AM IST  |  Mumbai | Agency

શૂજિત સરકારે ઝાડને ગળે લગાવવાની સલાહ આપી

શૂજિત સરકાર

ફિલ્મમેકર શૂજિત સરકારે લોકોને સલાહ આપી છે કે ઝાડને ગળે લગાવવાં જોઈએ. એથી અનેક ફાયદાઓ થઈ શકે છે. તેનું માનવું છે કે ઝાડના મૂળમાં અનેરી શક્તિ સમાયેલી હોય છે. તે હાલમાં તેની ફૅમિલી સાથે નૉર્થ બંગાળમાં છે જ્યાં તેનું બાળપણ પસાર થયું હતું. ઝાડના લાભ ગણાવતાં શૂજિત સરકારે કહ્યું હતું કે ‘ઝાડનાં મૂળ તમને હંમેશાંથી આશ્ચર્યમાં મૂકી દેશે. પાંદડાંઓની સરખામણીએ એનાં મૂળ દોઢથી ત્રણગણાં વિશાળ હોય છે. પહેલાંના સમયમાં ઝાડને પ્રજનનક્ષમતા, જ્ઞાન, શક્તિ અને નવીનીકરણનું પ્રતીક માનવામાં આવતાં હતાં. એથી થોડી ક્ષણો માટે પણ વૃક્ષોને ગળે લગાવો અને એમનો અનુભવ કરો. તમને શાંતિ મળી હોવાનો અહેસાસ થશે.’

shoojit sircar bollywood news