સુશાંતની ફૅમિલી પાસે સૌએ માફી માગવી જોઈએ : સ્વરા ભાસ્કર

23 July, 2020 10:04 PM IST  |  Mumbai Desk | Agencies

સુશાંતની ફૅમિલી પાસે સૌએ માફી માગવી જોઈએ : સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કર

સ્વરા ભાસ્કરે જણાવ્યું છે કે આપણે સુશાંત સિંહ રાજપૂતની ફૅમિલી પાસે માફી માગવી જોઈએ. 14 જૂને સુશાંતે બાંદરાના ઘરે સુસાઇડ કર્યું હતું. ત્યાર બાદથી એને લઈને રોજ નવી વાત આવે છે. જોકે તેના અવસાનનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું. તેના નિધન બાદ નેપોટ‌િઝમ પર ચર્ચા વધી ગઈ છે. એવામાં ટ્વિટર પર સ્વરાએ ટ્વીટ કર્યું હતું કે ‘મેં આત્મવિશ્લેષણ કર્યું હતું. મને લાગે છે કે સુશાંત સિંહ રાજપૂતની ફૅમિલી પાસે આપણે માફી માગવી જોઈએ. વિવિધ ચર્ચાઓમાં તેમના પરિવારનું નામ આપણે ઉછાળ્યું છે. આ આપણા વિશે નથી. સુશાંતની ફિલ્મ રિલીઝ થવાની છે. આપણે એક ઉજ્જવળ કલાકારને ગુમાવ્યો છે. ચાલો તેની યાદોને માણીએ. ઉદાર બનીએ.’

swara bhaskar bollywood sushant singh rajput bollywood news bollywood gossips