‘દોસ્તાના’માં બ્રેક-અપ

15 December, 2011 10:02 AM IST  | 

‘દોસ્તાના’માં બ્રેક-અપ

 

જોકે હમણાં થોડા મહિનાઓમાં ફિલ્મની સ્ક્રિપ્ટ અને અન્ય બાબતે મુશ્કેલીઓ હોવાને લીધે આ સીક્વલ બનશે કે નહીં એ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. જોકે હવે લાગી રહ્યું છે કે આ સીક્વલનો પ્લાન અત્યારે કૅન્સલ જ કરવામાં આવ્યો છે અને એ પાછળનું કારણ ડિરેક્ટર તરુણ મનસુખાણીનાં સ્ટાર જેવાં નખરાં અને વધુ ફી કઢાવવા માટેના તેના પ્રયાસોને માનવામાં આવે છે.

કહેવામાં આવે છે કે સ્ક્રિપ્ટમાં ઇન્ટરવલ પછીનો ભાગ ઘણો નબળો હોવાથી આખી ટીમ એમાં બદલાવ લાવવા માગે છે. જોકે તરુણ બીજા ટોચના ડિરેક્ટરો જેમ કે રાજકુમાર હિરાણી અને અનીસ બઝમી પાસેથી પ્રેરણા લઈ ફિલ્મની ફી ઉપરાંત નફામાં હિસ્સો માગી રહ્યો છે અને એ કબૂલ ન હોવાથી ફિલ્મને અત્યારે કૅન્સલ કરવામાં આવી છે.