મારા કામની સરખામણી મનોજ બાજપાઈના કામ સાથે ન થવી જોઈએ

18 November, 2020 02:38 PM IST  |  Mumbai | IANS

મારા કામની સરખામણી મનોજ બાજપાઈના કામ સાથે ન થવી જોઈએ

દિલજિત દોસાંજ

દિલજિત દોસાંજનું કહેવું છે કે ‘સૂરજ પે મંગલ ભારી’ના તેના કામને મનોજ બાજપાઈના કામ સાથે ન સરખાવવું જોઈએ. તેમણે બન્નેએ આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

આ ફિલ્મને અભિષેક શર્માએ ડિરેક્ટ કરી હતી. મનોજ બાજપાઈના કામ વિશે વાત કરતાં દિલજિત દોસાંજે કહ્યું હતું કે ‘તેઓ એક લિવિંગ લેજન્ડ છે. બાળપણમાં મેં તેમની ઘણી ફિલ્મો જોઈ છે અને મેં એમાંથી ઘણી પ્રેરણા પણ લીધી છે. મારો જન્મ 1984માં થયો છે અને એ સમય દરમ્યાન તેઓ પંજાબમાં થિયેટર કરવા માટે આવતા હતા. અમારી ફિલ્મના શૂટિંગ દરમ્યાન તેમણે મને આ વાત કહી હતી. આથી મને નથી લાગતું કે આ ફિલ્મમાં મારા કામને તેમણે કરેલા કામ સાથે સરખાવવું જોઈએ.’

diljit dosanjh manoj bajpayee bollywood