કુળદેવીનાં દર્શને ગયેલા દિલીપ જોષીને બે શબ્દો બોલવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું?

10 February, 2017 06:49 AM IST  | 

કુળદેવીનાં દર્શને ગયેલા દિલીપ જોષીને બે શબ્દો બોલવાનું કહેવામાં આવ્યું ત્યારે તેમણે શું કહ્યું?



રશ્મિન શાહ

માતાજીનાં દર્શન માટે પોરબંદર આવેલા દિલીપ જોષીને જોવા માટે લોકોનાં ટોળાં વળી ગયાં ત્યારે તેમને વિનંતી કરવામાં આવી હતી કે બે શબ્દો આવેલા લોકોને કહે. આ બે શબ્દો બોલતી વખતે દિલીપ જોષીએ કહ્યું હતું, ‘મહેરબાની કરીને હવે ફાકી, માવો અને તમાકુ ચોળીને ખાવાનું બંધ કરો. તમને ખબર નથી કે આ બધી વસ્તુ માત્ર ગંદકી જ નહીં, તમારા શરીરમાં પણ ગંદકી ઊભી કરે છે. શહેર સાફ રહેશે તો એ બધા માટે સારું છે અને જો આવાં વ્યસનોથી તમે બચશો તો એ તમારા પરિવાર માટે સારું છે.’

દિલીપ જોષીને એક પણ જાતનું વ્યસન નથી. પ્રમુખસ્વામીબાપાના ચુસ્ત અનુયાયી એવા દિલીપ જોષીએ કહ્યું હતું, ‘પાપ નહીં કરનારાને જ પુણ્યની વાતો કરવાનો અધિકાર હોય. એવું જ આ વ્યસનનું છે. બીડીનું ઠૂંઠું સળગાવીને લોકોને તમાકુથી દૂર રહેવાનું કહેવું યોગ્ય નથી.’