24 April, 2020 02:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વિકિ કૌશલ
કોરોના વાયરસ (COVID-19)ના ભારતમાં વધતા કિસ્સાઓને ધ્યનમાં રાખીને દરકારે દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી છે. આ દરમ્યાન જરૂરી કામ સિવાય ઘરની બહાર નહીં જવાની વિનંતી કરી છે. જીવનજરૂરી વસ્તુઓ લેવા બહાર જાવ ત્યારે પણ સોશ્યલ ડિસટન્સિંગના નિયમોનું પાલ કરવાનું કહેવામાં આવ્યું છે. અનેક લોકોએ લૉકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેમાન વિરુધ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે. દરમ્યાન બૉલિવુડના અભિનેતા વિકિ કૌશલે પણ લૉકડાઉનનો ભંગ કર્યો છે તેવી ચર્ચાઓએ જોર પકડયું હતું.
અફવાઓ એવી ઉડી હતી કે વિકિએ લૉકડાઉનના નિયમોનો ભંગ કર્યો હતો અને પોલીસે તેની ધરપકડ કરી હતી. અફવાઓથી કંટાળીને અભિનેતાએ ગઈ કાલે તેના ઓફીશ્યલ ટ્વીટર અકાઉન્ટ પરથી ટ્વીટ કરતા કહ્યું હતું કે, મે લૉકડાઉનનું પાલનનનથી કર્યું અને પોલીસે મારી ધરપકડ કરી છે એ બધી અફવાઓ પાયાવિહોણી છે. લૉકડાઉન લાગૂ થયું છે તે દિવસથી મેં ઘરની બહાર પગ પણ નથી મૂક્યો. હું લોકોને વિનંતી કરું છું કે અફવાઓ પર ભરોસો ન કરો.
ઉલ્લેખનિય છે કે વિકિ કૌશલે કોરોનાના સંકટ સમયે દેશની મદદ કરવા માટે PM Cares Fund અને મુખ્ય પ્રધાન રાહત યોજનામાં એક કરોડ રૂપિયા દાન કર્યા છે.