કરણ જોહરે 4 મહિનામાં 3 વખત શું કામ બદલાવ્યો મોબાઇલ-નંબર?

21 September, 2020 07:15 AM IST  |  Rajkot | Rashmin Shah

કરણ જોહરે 4 મહિનામાં 3 વખત શું કામ બદલાવ્યો મોબાઇલ-નંબર?

કરણ જોહર

અનેક સુપરહિટ ફિલ્મો આપી ચૂકેલા બૉલીવુડના ટોચના ત્રણ ડિરેક્ટર-પ્રોડ્યુસરમાંના એક કરણ જોહરે ફરી પાછો પોતાનો મોબાઇલ-નંબર બદલાવ્યો છે. સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ પછી સોશ્યલ મીડિયા પર કરણ જોહરને ટ્રોલ કરતાં તેણે પહેલી વખત નંબર બદલાવ્યો અને એ પછી બે વખત નંબર ચેન્જ કર્યા. અગાઉ કરણ જોહર લગભગ ૧૦ વર્ષથી એક જ નંબર વાપરતો હતો, પણ ૧૪ જૂન પછી ડિરેક્ટર-પ્રોડ્યુસરે ત્રણ વખત મોબાઇલ-નંબર બદલાવી નાખ્યા છે. આ વખતે નંબર બદલવાનું કારણ નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરો જવાબદાર છે.

કરણ જોહરના ઘરે થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેવાતું હોય એવા વાઇરલ થયેલા વિડિયોની ઇન્ક્વાયરી શરૂ થતાં કરણ જોહરે મોબાઇલ-નંબર બદલાવી નાખ્યો હતો, એટલું જ નહીં, તે છેલ્લા ૪ દિવસથી મુંબઈ છોડીને પણ ચાલ્યો ગયો છે. કરણે પોતાની ઑફિસમાં અને પર્સનલ સ્ટાફને નવો નંબર કોઈને પણ આપવાની સ્ટ્રિક્ટલી મનાઈ કરી દીધી છે અને ઑફિસમાં પણ જૂજ લોકો જ એવા છે જેમની સાથે કરણે આ નંબર શૅર કર્યો છે.

ગયા વર્ષે કરણના ઘરે થયેલી પાર્ટીમાં ડ્રગ્સ લેતા સ્ટાર્સની ઇન્ક્વાયરીનું કામ ઑલરેડી નાર્કોટિક્સ ક્રાઇમ બ્યુરોએ શરૂ કરી દીધું છે.

karan johar sushant singh rajput rhea chakraborty bollywood news Rashmin Shah