પતિ સાહિલ સાંઘાના અફેરના અહેવાલો પર દિયા મિર્ઝાએ તોડ્યું મૌન

02 August, 2019 07:13 PM IST  |  મુંબઈ

પતિ સાહિલ સાંઘાના અફેરના અહેવાલો પર દિયા મિર્ઝાએ તોડ્યું મૌન

દિયા મિર્ઝા અને સાહિલ સાંઘા

બોલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝાએ ગુરૂવારે એ વાતનું એલાન કર્યું કે તે પોતાના પતિ સાહિલ સાંઘાથી અલગ થઈ રહી છે. ગુરૂવારે જ જજમેન્ટલ હૈ ક્યા રાઈટર કનિકા ઢિલ્લને પણ પોતાના પતિ પ્રકાશ કોવેલામુડી સાથે લગ્ન તૂટવાનું એલાન કર્યું હતું. બે દિવસમાં બે સેલિબ્રિટીના અલગ થવાના અહેવાલોથી સૌ કોઈ હેરાન હતા.

એવી પણ ખબરો આવી હતી કે સાહિલનું અફેર કનિકા ઢિલ્લન સાથે  છે એટલે જ અલગ થવાનો નિર્ણય લીધો છે. પરંતુ હવે આ મામલે ખુદ એક્ટ્રેસે મૌન તોડ્યું છે. દિયાએ સતત ત્રણ ટ્વીટ કરતા સાફ કરી દીધું કે તેમના અલગ થવા પાછળ કોઈ મહિલા નથી કે તેના પતિનું કોઈ સાથે અફેર નથી.

દિયાએ ટ્વીટ કર્યું કે, મીડિયામાં સાહિલ વિશે અનેક ખબરો ચાલી રહી છે. આ ખૂબ જ બેજવાબદારીભર્યું વર્તન છે. હું એ સ્પષ્ટ કરી દેવા માંગું છું કે આ આરોપોમાં કોઈ સચ્ચાઈ નથી. અમારા બંનેના અલગ થવા પાછળ કોઈ ત્રીજા શખ્સનો હાથ નથી. અમે મીડિયાને વિનંતી કરી હતી કે અને થોડી પ્રાઈવસી આપે. હું આશા રાખું છું કે તેઓ તેની ઈજ્જત કરશે.


કનિકાએ પણ કર્યું ટ્વીટ
હાસ્યાસ્પદ અને બેજવાબદારીભર્યું. કારણ કે બે ન્યૂઝ એકસાથે આવ્યા એટલે તેમને એકબીજા સાથે જોડી ન શકાય. હું મારી આખી જિંદગીમાં ક્યારેય દિયા અને સાહિલને નથી મળી. પ્લીઝ તમે તમારા કામ પર જાઓ. કનિકાએ ટ્વીટના માધ્યમથી દિયાનો પણ આભાર માન્યો. તો દિયાએ પણ કનિકાના ટ્વીટનો રિપ્લાય કરતા તેને પ્રેમ આપ્યો.

dia mirza sahil sangha bollywood news