ક્રીએટિવ લોકોનું કોઈ ફેવરિટ માધ્યમ નથી હોતું : મનોજ બાજપાઈ

20 June, 2021 11:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ક્રીએટિવ લોકો માટે કોઈ મીડિયમ ફેવરિટ ન હોવું જોઈએ; કારણ કે તમારે માધ્યમ કોઈ પણ હોય, માત્ર કામ પર ધ્યાન આપવું જોઈએ.

મનોજ બાજપાઇ

મનોજ બાજપાઈનું કહેવું છે કે ક્રીએટિવ લોકોને કોઈ ફેવરિટ માધ્યમ નથી હોતું. તે હાલમાં ફિલ્મો અને ડિજિટલ પ્લૅટફૉર્મ પર પણ સક્રિય છે. તેની ‘ફૅમિલી મૅન 2’ તાજેતરમાં જ રિલીઝ થઈ છે. કોઈ પણ માધ્યમ હોય એનાથી કોઈ ફરક નથી પડતો એ વિશે મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘ક્રીએટિવ લોકો માટે કોઈ મીડિયમ ફેવરિટ ન હોવું જોઈએ; કારણ કે તમારે માધ્યમ કોઈ પણ હોય, માત્ર કામ પર ધ્યાન આપવું જોઈએ. તમારે ફક્ત સારું કામ શોધવાનું હોય જે તમને ઉત્સાહિત કરે અને પડકાર આપે. અનેક ફિલ્મો ડિજિટલ પ્લૅટફૉર્મ પર રિલીઝ થાય છે. ‘ભોસલે’ અથવા તો ‘સાઇલન્સ’ને થિયેટરમાં રિલીઝ કરવાની હતી. ડિજિટલ પ્લૅટફૉર્મ એક આશીર્વાદ સમાન છે કે અમે એના પર ફિલ્મો રિલીઝ કરી શક્યા છીએ. થિયેટર્સ પણ ફરીથી શરૂ થશે. જેટલાં વધુ માધ્યમો એટલી વધુ તકો મળશે. ટૅલન્ટનો વધુ ઉપયોગ થશે અને એનો ફાયદો થશે.’

bollywood news bollywood bollywood gossips manoj bajpayee entertainment news