સંજય દત્ત એક હજાર ફૅમિલીને ભોજન પૂરું પાડશે

15 April, 2020 11:30 AM IST  |  Mumbai | Agencies

સંજય દત્ત એક હજાર ફૅમિલીને ભોજન પૂરું પાડશે

સંજય દત્ત

સંજય દત્તે એક હજાર ફૅમિલીને ભોજન આપવાનું નક્કી કર્યું છે. લૉકડાઉનને ૩ મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ દરમ્યાન મુંબઈમાં ગરીબ લોકોને ભોજન માટે ખૂબ જ તકલીફ પડશે એ માટે સંજય દત્તે આ નિર્ણય લીધો છે. આ વિશે સંજય દત્તે કહ્યું હતું કે ‘આપણા દેશ માટે આ ખૂબ જ કપરો સમય છે. લોકો તેમનાથી બનતી મદદ દરેક વ્યક્તિને કરી રહ્યા છે પછી એ ઘરમાં રહીને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનું જ કેમ ન હોય. મારાથી શક્ય હોય એટલા લોકોને મદદ માટે હું પ્રયત્ન કરી રહ્યો છું.’

આ સાથે જ સંજય દત્તે લોકોને ઘરમાં રહીને ફિટ રહેવા માટે પણ વિનંતી કરી છે. તે સાવરકર શેલ્ટર સાથે મળીને બોરિવલીથી બાંદરાની વચ્ચે રહેતા ગરીબોને મદદ કરશે. આ વિશે સંજય દત્તે કહ્યું હતું કે ‘આ પ્લાનને પૂરો પાડવા માટે સાવરકર શેલ્ટર ખૂબ જ મદદગાર રહ્યું છે. તેમણે આ કામ પાર પાડવા માટે ખૂબ જ મહેનત કરી છે અને એ બદલ હું તેમનો આભાર માનું છું. આશા રાખું છું કે એકબીજાને મદદ કરીને આપણે આ કપરી પરિસ્થિતિમાંથી બહાર આવી શકીશું.’

sanjay dutt bollywood news entertainment news