24 June, 2020 08:01 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
સુશાંત સિંહ રાજપૂત
14મી જૂને સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુના સમાચાર આવ્યા અને શરૂઆતી કાર્યવાહીમાં તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. શરૂઆતી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એ જ વાત સામે આવી અને હવે આજે પોલીસને ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોંપાયો છે જેમાં જણાવ્યા અનુસાર ગુંગળામણથી જ તેનું મોત થયું છે. અંગ્રેજીમાં આ સ્થિતિ માટે એસફિક્સિયા શબ્દ વપરાય છે. રિપોર્ટ તે વાત પર પણ ભાર આપવામાં આવ્યો છે કે સુશાંતના શરીર પર કોઈ બહારની ઈજાના નિશાન ન હતા. તેના નખ પણ સાફ હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સુશાંતના મોતનું કારણ આપઘાત જ જણાવવામાં આવ્યો છે. રિપોર્ટ અભિનેતાના મોતના કારણો પર અન્ય કોઇ સવાલ ખડા નથી થતા.દિશા સાલિયાનનાં મોત સાથે પણ સુશાંતની આત્મહત્યાને કોઇ સંબંધ નથી તેમ પોલીસનું કહેવું છે.સુશાંતની આત્મહત્યાને પગલે પોલીસે 23 જણની પુછપરછ કરી છે અને તેના ચાર્ટડ એકાઉન્ટન્ટનું નિવેદન પણ લેવામાં આવનાર છે.