05 May, 2020 11:15 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
આ સંદેશ નીચે નીતુ કપૂરે પોતાના નામ સાથે, રિદ્ધિમા, રણબીર અને આખા પરિવાર તરફથી ગ્રેટિટ્યુડ દર્શાવ્યો છે.
ઋષિ કપૂરનું જવું અને તેની સાથે અઢળક યાદગીરીઓનું વહેવું.આ તરફ કપૂર પરિવાર ઋષિ કપૂરના આ કપરા સમયમાં તેમની સાથે ડગલેને પગલે રહેલાઓ પ્રત્યે ખુબ દિલથી આભાર વ્યક્ત કરી રહ્યો છે.જે કુટુંબ પર સંકટ હોય તેને જ ખબર હોય કે આ કેવી કપરી પરિસ્થિતિ હોઇ શકે છે.આજે નીતુ કપૂરે ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટમાં અંબાણી પરિવારનો આભાર માન્યો છે.તેમણે નીતા તથા મુકેશ અંબાણી સાથે ઋષિ તથા પોતાની એક તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, “અમારે માટે છેલ્લા બે વર્ષ, એક પરિવાર તરીકે બહુ જ લાંબો સમય રહ્યો. કેટલાક દિવસો સારા હતા તો કેટલાક ખરાબ પણ હતા...એ કહેવાની જરૂર જ નથી કે એ દિવસો ઇમોશન્સથી ભરપૂર હતા.પણ એ એક સફર હતી અને એ અંબાણી પરિવારનાં પ્રેમ અને સહકાર વગર શક્ય જ ન થઇ હોત.છેલ્લા કેટલાક દિવસોમાં અમે અમારી જાતને સંભાળી રહ્યા છીએ અને અંબાણી પરિવાર તરફ જે લાગણી અને કૃતજ્ઞતા દર્શાવવા માટે શબ્દો ખોળીએ છીએ કારણકે તેમણે અગણિત રીતે તેમણે અમારી સલામતી અને કાળજીનો પુરેપુરો ખ્યાલ રાખ્યો છે. છેલ્લા સાત મહિનામાં અંબાણી પરિવારનાં એકેએક સભ્યએ શક્ય હોય તેટલી રીતે અને તેનાથી વધુ રીતે અમારા વ્હાલા ઋષિની કાળજી રાખી છે અને તેને ઓછામાં ઓછી તકલીફ પડે તેની તકેદારી પણ રાખી.મેડિકલી તેની સારવાર બરાબર રહે, વારંવાર હૉસ્પિટલમાં આવી તેની ખબર કાઢવી તેના પ્રત્યે પ્રેમ દાખવવો, અંગત ધ્યાન આપવું અને જ્યારે અમે ગભરાઇ જતા ત્યારે અમારો હાથ પકડી અમને ધીરજ બંધાવવી. મુકેશભાઇ, નીતા ભાભી, આકાશ, શ્લોકા, અનંત અને ઇશા તમે બધાં જ આ થકવી નાખે તેવા અનુભવમાં જ અમારા ગાર્ડિયન એન્જલ્સ રહ્યા છો.અમે તમારા નિઃસ્વાર્થ, ક્યારેય ન અટકનારા સહકાર અને કાળજી બદલ તમારો હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ.અમારી નિકટનાં સ્વજન હોવા બદલ અમે ખરેખર બ્લેસ્ડ છીએ.” આ સંદેશ નીચે નીતુ કપૂરે પોતાના નામ સાથે, રિદ્ધિમા, રણબીર અને આખા પરિવાર તરફથી ગ્રેટિટ્યુડ દર્શાવ્યો છે.
p>
HN રિલાયન્સ હૉસ્પિટલમાં 30 એપ્રિલનાં રોજ ઋષિ કપૂરનું નિધન થયું, તે છેલ્લા બે વર્ષથી લ્યુકેમિયાથી પીડાતા હતા.