29 July, 2020 10:14 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
એસ એસ રાજામૌલી
બાહુબલી ફિલ્મ જેણે ડાયરેક્ટ કરી હોય તે પોતે પણ બાહુબલીથી (Baahubali) કમ ન હોય તે સ્વાભાવિક છે પણ વાઇરસે કોઇ ભેદ રાખ્યા નથી. પ્રભાસ અભિનિત આ ફિલ્મના ડાયરેક્ટર એસ એસ રાજામૌલી (S S Rajamouli) અને તેમના પરિવારનો Covid-19 રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હોવાથી તેઓ હાલમાં પોતાના ઘરે જ ક્વોરેન્ટાઇન થયા છે.
ડાયરેક્ટરે એક ટ્વીટ દ્વારા આ વાત જાહેર કરી હતી. તેમણે જણાવ્યા અનુસાર પહેલાં તેમના પરિવારને સહેજ તાવની અસર વર્તાતી હતી અને પછી તપાસ કરાવતાં તમામનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો અને તેઓ ડૉક્ટરની સલાહ અનુસાર હાલમાં ઘરે જ ક્વોરેન્ટાઇન થયા છે.
તેમણે બાદમાં પોતે સ્વસ્થતા અનુભવ છે અને બધી જ સાવચેતી રાખી રહ્યા છે તેમ પણ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે તેઓ એન્ટિબૉડિઝ વિકસે તેની રાહમાં છે જેથી તેઓ પોતાના પ્લાઝ્મા પણ ડોનેટ કરી શકે.
રાજા મૌલી RRR નામની ફિલ્મ પર કામ કરી રહ્યા છે જેમાં એન્ટી રામ રાવ જુનિયર મુખ્ય અભિનેતા છે તથા સાથે બૉલીવુડ એક્ટર અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ જોવા મળશે.