બાળકને દુનિયામાં લાવવાને સ્વાર્થી નિર્ણય જણાવે છે સોનમ કપૂર આહુજા

22 August, 2022 02:34 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડિલિવરી અગાઉ તેણે મૅગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું

સોનમ કપૂર અને આનંદ આહુજા

શનિવારે દીકરાને જન્મ આપીને સોનમ કપૂર આહુજા અને આનંદ એસ. આહુજા પેરન્ટ્સ બની ગયાં છે. સોનમનું માનવું છે કે બાળકને દુનિયામાં લાવવાનો નિર્ણય સ્વાર્થી હોય છે. સોનમ થોડાં અઠવાડિયાં અગાઉ જ લંડનથી મુંબઈ આવી હતી. ડિલિવરી અગાઉ તેણે મૅગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. પેરન્ટ્સ બનવા વિશે સોનમે કહ્યું કે ‘જવાબદારીઓ બદલાઈ જાય છે. મારું માનવું છે કે આપણે એમ માનીએ છીએ કે બાળક મારું બની ગયું છે. જોકે વાસ્તવિકતા એ છે કે આ દુનિયામાં આવવાની પસંદગી એ બાળકની પોતાની નથી હોતી, તમે તેને અહીં લઈને આવો છો. એથી આપણો એ ફેંસલો સ્વાર્થી હોવાનું મને લાગે છે.’

entertainment news bollywood news bollywood bollywood gossips sonam kapoor anand ahuja