કોરોના વાઇરસને કારણે આમ જનતાને ઝી સિને અવૉર્ડ‍‍્સમાં નો એન્ટ્રી

14 March, 2020 02:20 PM IST  |  Mumbai Desk

કોરોના વાઇરસને કારણે આમ જનતાને ઝી સિને અવૉર્ડ‍‍્સમાં નો એન્ટ્રી

ઝી સિને અવૉર્ડ્સ ૨૦૨૦ને કોરોના વાઇરસને કારણે લોકો માટે કૅન્સલ કરવામાં આવ્યો હતો. માત્ર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવા માટે એનું શૂટિંગ ગઈ કાલે કરવામાં આવ્યું હતું. વાઇરસને કારણે લોકોની ભીડને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમના દ્વારા સ્ટેટમેન્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું કે આ શોનું પ્રસારણ ૨૮ માર્ચે સાંજે સાડાસાત વાગ્યે ઝી ટીવી અને ઝી સિનેમા પર થવાનું છે. જોકે લોકો આ શોને ZEE5 પર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ થાય એ પહેલાં જોઈ શકશે. આ શોના અસોસિએટ્સ અને પાર્ટનર્સે બાંહેધરી આપી છે કે આ શોમાં સામેલ થવા માટે જે પણ લોકોએ ટિકિટ ખરીદી હતી તેમને તેમના પૈસા પણ વહેલાસર પાછા આપવામાં આવશે. 

bollywood bollywood events bollywood news coronavirus