કોરોના વાઇરસથી અફેક્ટ થનાર ફૅમિલી માટે કવિતા લખી આયુષ્માન ખુરાનાએ

19 March, 2020 06:06 PM IST  |  | ANI

કોરોના વાઇરસથી અફેક્ટ થનાર ફૅમિલી માટે કવિતા લખી આયુષ્માન ખુરાનાએ

આયુષ્માન ખરાના

આયુષ્માન ખુરાનાએ કોરોના વાઇરસથી અફેક્ટ થનાર ફૅમિલી માટે એક કવિતા લખી છે. તેનું માનવું છે કે આ વાઇરસને કારણે સૌથી મોટી અસર ઓછી ઇન્કમ ધરાવનાર ફૅમિલીને થઈ રહી છે. આ વિશે આયુષ્માને ટ્વીટ કર્યું હતું કે ‘અબ અમીર કા હર દિન રવિવાર હો ગયા ઔર ગરીબ હૈ અપને સોમવાર કે ઇન્તઝાર મેં. અબ અમીર કા હર દિન સે પરિવાર હો ગયા હૈ ઔર ગરીબ હૈ અપને રોઝગાર કે ઇન્તઝાર મેં.’

ડિયર ગવર્નમેન્ટ, નાના બિઝનેસ કરનાર માટે થોડીઘણી છૂટ આપો નહીંતર આ લૉકડાઉન તેમના અંતનું કારણ બની જશે. રોજિંદું કામ કરનારા માટે રિલીફ ફન્ડની જાહેરાત કરો. આપણે એક મોટા ડિઝૅસ્ટરની સામે ઊભા છીએ. પૉલિટિક્સ વિશે બાદમાં વિચારજો.
- રિચા ચઢ્ઢા, સામાન્ય ફૅમિલીની મદદ માટે સરકારને અપીલ કરી

 

ayushmann khurrana bollywood bollywood news bollywood gossips entertainment news