વિકી ડોનર અને અંધાધુનની સ્ક્રિપ્ટને લૉકરમાં રાખવા માગે છે આયુષ્માન

14 October, 2019 10:26 AM IST  |  મુંબઈ

વિકી ડોનર અને અંધાધુનની સ્ક્રિપ્ટને લૉકરમાં રાખવા માગે છે આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાનાની ઇચ્છા છે કે તે ‘વિકી ડોનર’ અને ‘અંધાધુન’ની સ્ક્રિપ્ટને લૉકરમાં સુરક્ષ‌િત રાખવા માગે છે. આયુષ્માનને પૂછવામાં આવ્યું હતું કે તે લૉકરમાં કઈ વસ્તુઓને સાચવીને રાખવા માગશે. એનો જવાબ આપતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું વધારે પડતો ભૌતિકવાદી વ્યક્તિ નથી. જોકે હું ‘વિકી ડોનર’ અને ‘અંધાધુન’ની સ્ક્રિપ્ટને લૉકરમાં સાચવીને રાખવા માગું છું અથવા તો મારી વાઇફે મારા શરૂઆતના સમયમાં મને જે પણ ગિફ્ટ્સ આપી હતી એને પણ લૉકરમાં રાખીશ. મેં હંમેશાં હટકે ફિલ્મો કરી છે જે કદાચ અન્યો માટે સફળ નથી રહી. સ્ક્રિપ્ટની પસંદગી કરવી એ મારી USP (યુનિક સેલિંગ પૉઇન્ટ્સ) બની ગઈ છે. હું હંમેશાં એ લોકોનો આભારી રહીશ જે આ ફિલ્મ સાથે જોડાયેલા છે. એથી જરા પણ વિચાર્યા વગર હું એ ખજાનાને સાચવીને લૉકરમાં રાખવા માગીશ.’

ayushmann khurrana bollywood news