ઉરી પર આધારિત સિરીઝ અવરોધ

23 July, 2020 10:31 PM IST  |  Ahmedabad | Nirali Dave

ઉરી પર આધારિત સિરીઝ અવરોધ

અવરોધ

સોની લિવના તાજેતરમાં રિલીઝ થયેલા શો ‘અનદેખી’, ‘યૉર ઓનર’ને સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે ૩૧ જુલાઈએ આ પ્લૅટફૉર્મ પર ‘અવરોધ : ધ સીજ વિધિન’ નામની સિરીઝ રિલીઝ થવાની છે. રાજ આચાર્ય નિર્દેશિત આ સિરીઝ સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલા ઉરી અટૅક અને સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે જેમાં અમિત સાધ, દર્શન કુમાર, મધુરિમા તુલી, નીરજ કાબી, વિક્રમ ગોખલે સહિતના કલાકારો છે.
અમિત સાધ આ શોમાં એક આર્મી ઑફિસરના રોલમાં જોવા મળશે. ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘બ્રીધ’ માટે અમિત સાધનાં વખાણ થઈ રહ્યાં છે ત્યારે આર્મી ઑફિસરના રોલમાં અમિતને જોવાની મજા પડશે. અમિત સાધ ઉપરાંત અભિનેતા દર્શન કુમાર (મૅરી કૉમ) આ સિરીઝમાં મેજર રોનક ગૌતમના રોલમાં, મધુરિમા તુલી (બિગ બૉસ) સિનિયર રિપોર્ટરના રોલમાં, નીરજ કાબી (પાતાલ લોક) નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર તરીકે અને વિક્રમ ગોખલે (નટસમ્રાટ) વડા પ્રધાનના રોલમાં જોવા મળશે. આ કલાકારો ઉપરાંત અનંત મહાદેવન (વિશ્વરૂપમ) અને પવૈલ ગુલાટી (થપ્પડ) પણ મહત્ત્વનો રોલ કરવાના છે.

bollywood bollywood news bollywood gossips