19 April, 2012 05:25 AM IST |
અતુલના પ્રોડક્શનની આ ફિલ્મની સ્ક્રિપ્ટ, ડિરેક્ટર અને ક્યાં શૂટિંગ થશે એ બધું ફાઇનલ થઈ ગયું છે. અત્યારે કાસ્ટિંગ ચાલી રહ્યું છે, પણ ફિલ્મ સાથે સંકળાયેલા લોકો એની કોઈ જાણકારી આપવા તૈયાર નથી. જોકે હજી તેઓ બે મહિના જેટલો સમય લઈ આખી કાસ્ટ ફાઇનલ કરવા માગે છે અને ત્યારે જ એના વિશે કૉમેન્ટ કરશે. જોકે એક ઇન્ટરવ્યુમાં અતુલે સ્વીકાર્યું છે કે આ ફિલ્મ સલમાન વગર હશે. તેણે કહ્યું હતું કે ‘હા, આ ફિલ્મમાં સલમાન માટે અમારી પાસે કોઈ રોલ કે સ્પેશ્યલ અપીઅરન્સ નથી. સલમાન મારા માટે એક લકી મૅસ્કોટ રહ્યો છે અને તે મને એટલો જ સપોર્ટ કરે છે. કુટુંબ માટે તેનું યોગદાન આગળપડતું રહ્યું છે.’
ફિલ્મ વિશે તેણે આ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘આ એક ઓરિજિનલ ફિલ્મ હશે. આજના જમાનાની મનોરંજક લવસ્ટોરી છે. અમે ટાઇટલ પણ વિચારી લીધું છે, પણ એના વિશે થોડા સમય બાદ વાતચીત કરીશું.’
આ પહેલાં ચર્ચા હતી કે અતુલે રજનીકાન્તના જીવન પરની ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા છે અને તે ફિલ્મ બનાવશે, પણ હજી એ વિશે કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો. આ ઉપરાંત સલ્લુ સાથે જ ‘દૂકુડુ’ની રીમેકની પણ વાતચીત કરવામાં આવતી હતી, પણ એના પર તે હવે કામ નથી કરવા માગતો.