મોતીચૂર ચકનાચૂરમાં સુનીલે દખલ કરી હોય એ અફવાનું ખંડન કર્યું અથિયાએ

28 October, 2019 10:48 AM IST  |  મુંબઈ | સોનિલ દેઢિયા

મોતીચૂર ચકનાચૂરમાં સુનીલે દખલ કરી હોય એ અફવાનું ખંડન કર્યું અથિયાએ

અથિયા શેટ્ટી

અથિયા શેટ્ટીએ એ વાતને રદિયો આપ્યો છે કે ‘મોતીચૂર ચકનાચૂર’માં તેના ડૅડી સુનીલ શેટ્ટીએ દરમ્યાનગીરી કરી હોય. સાથે જ તેણે એમ પણ જણાવ્યું કે તેના ડૅડીએ તો આ ફિલ્મ પણ નથી જોઈ. આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી પણ જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. ‘મોતીચૂર ચકનાચૂર’ ૧૫ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મમાં સુનીલ શેટ્ટીની દખલઅંદાજીને અફવા જણાવતાં અથિયા શેટ્ટીએ કહ્યું હતું કે ‘મને એ ખબર નથી કે આ બધી અફવા ક્યાંથી શરૂ થાય છે. આ બધું ખોટું છે. તેમણે તો આ ફિલ્મ પણ નથી જોઈ. તેમણે આ મુદ્દે ચૂપ રહેવાનું જ યોગ્ય સમજ્યું છે, કારણ કે આવું બધું તો કંઈ થયું જ નથી. હું તેમની સાથે મારા કામની ચર્ચા કરું છું, પરંતુ અંતિમ નિર્ણય તો હું જ લઉં છું.’

athiya shetty sunil shetty