27 June, 2020 09:25 PM IST | Mumbai | Agencies
મનોજ બાજપાઇ
મનોજ બાજપાઈએ જણાવ્યું છે કે સુશાંતે ૩૪ વર્ષની ઉંમરમાં જેટલી સિદ્ધિ મેળવી એટલી તો તેણે પણ નહોતી મેળવી. સુશાંતે ૧૪ જૂને બાંદરાના પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. આજે સૌકોઈ તેના નિધન બાદ તેના કામની તેના સ્વભાવની પ્રશંસા કરે છે. સુશાંતને યાદ કરતાં મનોજ બાજપાઈએ કહ્યું હતું કે ‘દરેકની લાઇફમાં ઉતાર-ચડાવ અને લાગણી હોય છે. સુશાંત પણ એમાંથી બાકાત નહોતો. મને નથી લાગતું કે હું તેના જેવો ટૅલન્ટેડ છું. હું તેના જેવો ઇન્ટેલિજન્ટ કે પછી બ્રાઇટ પણ નથી. તેણે 34ની ઉંમરમાં જે કંઈ પણ મે ૩૪ ની વયે સુશાંતે જે મેળવ્યું એટલું તો મેં નહોતું મેળવ્યું:મનોજ બાજપાઈ ળવ્યું છે મને નથી લાગતું કે એ ઉંમરમાં મેં તેના જેવું કંઈ મેળવ્યું હોય. મને લાગે છે કે મારી અચીવમેન્ટ્સ તો ખૂબ નાની છે. આ રીતે હું તેને યાદ કરતો રહીશ. હું તેને ફક્ત એક સારી વ્યક્તિ તરીકે યાદ નહીં કરું.’