સાહિત્યકાર બનવાની ખુશી છે અશ્વિની અય્યર તિવારીને

13 February, 2021 09:02 AM IST  |  Mumbai | Agency

સાહિત્યકાર બનવાની ખુશી છે અશ્વિની અય્યર તિવારીને

અશ્વિની અય્યર તિવારી

અશ્વિની અય્યર તિવારી સાહિત્યકાર બનતાં ખૂબ ખુશ છે. તેમણે લખેલી નૉવેલ ‘મૅપિંગ લવ’ આ વર્ષે મેમાં રિલીઝ થવાની છે. ૨૦૧૫માં આવેલી ‘નીલ બટ્ટે સન્નાટા’ દ્વારા અશ્વિનીએ ડિરેક્શનમાં ઝંપલાવ્યું હતું. બાદમાં તેણે ૨૦૧૭માં આવેલી ‘બરેલી કી બરફી’ અને ૨૦૨૦માં આવેલી ‘પંગા’ બનાવી હતી. પોતાની બુક વિશે અશ્વિનીએ કહ્યું હતું કે ‘એક સ્ટોરીટેલર તરીકે હું આ માધ્યમ દ્વારા એક એવી સ્ટોરી કહેવા માગું છું કે જે ખરા અર્થમાં વસ્તુ વિષયના સારને રજૂ કરે. ‘મૅપિંગ લવ’ એક એવી સ્ટોરી છે જેમાં લખવાની કળા પ્રત્યેના પ્રેમને સ્થિરતા સાથે ફરીથી ઉજાગર કરવામાં આવે છે. આ બુક લખવામાં મને ૩ વર્ષ લાગ્યાં અને હું અતિશય ખુશ છું.’

ashwiny iyer tiwari bollywood bollywood news