સ્ટાર હોવાને કારણે પ્રાઇવસી ન મળતી હોવાથી ફરક નથી પડતો અર્જુન કપૂરને

18 March, 2019 12:37 PM IST  | 

સ્ટાર હોવાને કારણે પ્રાઇવસી ન મળતી હોવાથી ફરક નથી પડતો અર્જુન કપૂરને

અભિનેતા અર્જુન કપૂર

 સ્ટારડમને કારણે સેલિબ્રિટીઝને પ્રાઇવસી નથી મળતી, પરંતુ એ કિંમત ચૂકવવા તૈયાર છે અર્જુન કપૂર. અર્જુન તેની મલાઇકા અરોરા સાથેની રિલેશનશિપને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તે જ્યાં પણ જાય ત્યાં તેને લગ્ન વિશે સવાલ પૂછવામાં આવી રહ્યા છે. આ વિશે પૂછતાં અજુર્ને કહ્યું હતું કે ‘મને એનાથી ફરક નથી પડતો. આ ખૂબ જ નજીવી કિંમત છે. ઍક્ટર બનવાથી મને ઇન્ડિયામાં જ નહીં, પરંતુ દુનિયામાં ઘણા લોકો ઓળખે છે અને એ માટે આ ખૂબ જ નાની કિંમત છે. અમે કેવા છીએ એ જાણવામાં લોકોને રસ છે. અમે પણ તેમના જેવા નૉર્મલ વ્યક્તિ છીએ એ જાણીને તેમને નવાઈ લાગે છે.

આ પણ વાંચોઃ મલાઈકા અને અર્જુનના લગ્નસંબંધે અર્જુને કહી આ વાત

આથી મને પ્રાઇવસી ન મળે એનાથી મને કોઈ ફરક નથી પડતો. જો કોઈ એમ કહેતું હોય કે તેમને તેમની પ્રાઇવસી જોઈએ છે તો તે ખોટા પ્રોફેશનમાં આવી ગયા છે, કારણ કે જે દિવસે તમે જાણીતો ચહેરો બની ગયા એ જ દિવસે તમે તમારી પ્રાઇવસી ખોઈ દીધી હોય છે.’

આ પણ વાંચોઃ મલાઈકા અને અર્જુનના લગ્નસંબંધે અર્જુને કહી આ વાત

આ વિશે વધુ જણાવતાં અજુર્ને કહ્યું હતું કે ‘આ તમારા પર નર્ભિર છે કે તમે પોતાના વિશે કેટલું જાહેર કરવા માગો છો. તમારી લાઇફ વિશે લોકો કેટલું જાણે એના પર આજે તમે ઘણો કન્ટ્રોલ રાખી શકો છો. અફવાઓ અને ગૉસિપ તો ચાલતી રહેવાની. હું કંઈ પહેલો કે અંતિમ ઍક્ટર નથી. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના તમામ ઍક્ટર્સે એ સહન કરવું પડે છે, કારણ કે એ અમારા બિઝનેસનો એક ભાગ છે.’

arjun kapoor bollywood