મલાઈકા અરોરા સાથે લગ્નની ખબરો પર અર્જુને તોડ્યું મૌન, જાણો શું કહ્યું

24 May, 2019 04:39 PM IST  |  મુંબઈ

મલાઈકા અરોરા સાથે લગ્નની ખબરો પર અર્જુને તોડ્યું મૌન, જાણો શું કહ્યું

મલાઈકા અરોરા સાથે લગ્નની ખબરો પર અર્જુને તોડ્યું મૌન

ફિલ્મ અભિનેતા અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે તેના લગ્નની ઉડી રહેલી અફવાઓ પર મૌન તોડતા પત્રકારો સાથેની વાતચીતમાં પોતાના લગ્નની યોજના વિશે વાત કરી છે. આ વિશે જણાવતા અર્જુન કપૂરે કહ્યું કે આ વાતમાં બિલકુલ તથ્ય નથી કે તેઓ લગ્ન કરી રહ્યા છે. જેથી તેમની પાસે છુપાવવા માટે કાંઈ જ નથી. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર આ વાતનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે ફિલ્મ અભિનેત્રી મલાઈકા અરોરા અને ફિલ્મ અભિનેતા અર્જુન કપૂર જલ્દી જ લગ્ન કરી શકે છે. બંનેને અનેક વાર એકસાથે જોવામાં આવ્યા છે. તે ડિનર ડેટ હોય, પાર્ટી હોય કે કોઈ ફિલ્મનું સ્ક્રીનિંગ.


અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ ક્યારેય ખુલીને તેમના સંબંધો પર વાત નથી કરી. ન તેમના લગ્નની વાતનો સ્વીકાર કર્યો છે. એ વાતનો ક્યાસ ઈન્ડસ્ટ્રીમાં લગાવવામાં આવી રહ્યો છે. જેના લીધે આ બંને પ્રશંસકો લાંબા સમયથી એ વાતની રાહ જોઈ રહ્યા છે કે બંને ત્યારે લગ્ન કરવાની જાહેરાત કરશે.

હાલમાં જ અર્જુનને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે લગ્નને લઈને તેમનો શું વિચાર છે. ત્યારે તેમણે કહ્યું કે, 'જો મને આ પ્રશ્નને અંગત રાખવો હોત તો હું આ પ્રશ્નનો જવાબ ન આપેત પરંતુ હું અનેક વાર કહી ચુક્યો છું કે હું હમણા લગ્ન નથી કરી રહ્યો. જેને લઈને મારી પાસે છુપાવવા માટે કાંઈ જ નથી. હું જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે બધાને કહીશ. જો તમે મારા જૂના ઈન્ટરવ્યૂ જોઈશો તો તમને ખબર પડશે કે હું આ વિશે સતત વાત કરી રહ્યો છું કે હું જ્યારે પણ લગ્ન કરીશ ત્યારે બધાને કહીશ.'

arjun kapoor malaika arora bollywood news