અર્જુન કપૂરનો ગુસ્સો હજી પણ શાંત નથી થયો

02 December, 2022 05:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ણે સોશ્યલ મીડિયામાં એક નોટ શૅર કરીને લખ્યું છે કે કર્મનું ફળ ભોગવ્યા વગર છૂટકો નથી.

અર્જુન કપૂર

મલાઇકાની પ્રેગ્નન્સીની અફવાને લઈને તે બે દિવસથી સોશ્યલ મીડિયા પર લોકોની ઝાટકણી કાઢી રહ્યો છે અર્જુન કપૂરનો ગુસ્સો હજી શાંત થયો હોય એવું નથી લાગી રહ્યું. તેણે સોશ્યલ મીડિયામાં એક નોટ શૅર કરીને લખ્યું છે કે કર્મનું ફળ ભોગવ્યા વગર છૂટકો નથી. હાલમાં જ એક ન્યુઝ વેબસાઇટે ન્યુઝ ફેલાવ્યા હતા કે મલાઇકા અરોરા પ્રેગ્નન્ટ છે. મલાઇકા અને અર્જુન પેરન્ટ્સ બનવાનાં છે. આ વાત ધ્યાનમાં આવતાં જ અર્જુન કપૂરે એ ન્યુઝ વેબસાઇટ અને એ જર્નલિસ્ટની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. હવે ફરીથી ઇન્સ્ટાસ્ટોરી પર એક નોટ શૅર કરીને અર્જુન કપૂરે લખ્યું હતું કે ‘દરેકને પોતાનાં કર્મો ભોગવવાં પડે છે. તમે તમારા આખા જીવન દરમ્યાન લોકોને હંમેશાં નીચા ન દેખાડી શકો. તમે કોણ છો એનાથી મને કોઈ ફરક નથી પડતો. બધી બાબતો ફરીને તમારી પાસે આવે છે. વહેલા કે મોડા તમે જેના હકદાર છો એવાં તમારાં કરેલાં કર્મોનું ફળ તમને મળીને જ રહે છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood malaika arora arjun kapoor