એ. આર. રહમાનને હૃદયનાથ અવૉર્ડ અપાશે

09 October, 2015 05:39 AM IST  | 

એ. આર. રહમાનને હૃદયનાથ અવૉર્ડ અપાશે



હૃદયનાથ લતા મંગેશકર અને આશા ભોસલેના નાના ભાઈ છે. છેલ્લાં ચાર વર્ષોથી આ અવૉર્ડ તેમના જન્મદિવસે આપવામાં આવે છે અને આ વર્ષે પણ ૨૬ ઑક્ટોબરે આ અવૉર્ડ સુભાષ ઘઈ દ્વારા એ. આર. રહમાનને આપવામાં આવશે. આ અવૉર્ડ પહેલી વાર લતા મંગેશકરને આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ આશા ભોસલે, અમિતાભ બચ્ચન અને સુલોચના તાઈને આ અવૉર્ડ આપવામાં આવ્યો હતો.