01 April, 2020 03:34 PM IST | Mumbai | Agencies
અપારશક્તિ ખુરાના
અપારશક્તિ ખુરાનાનું કહેવું છે કે લૉકડાઉન બાદ દરેક વ્યક્તિ પોતાના સારા વર્ઝન સાથે બહાર આવે તો સારું. કોરોના વાઇરસને કારણે નરેન્દ્ર મોદીએ ૨૧ દિવસનું લૉકડાઉન જાહેર કર્યું છે. આ લૉકડાઉન દરમ્યાન દરેક વ્યક્તિ પોતાના ઘરમાં ફૅમિલી સાથે સમય પસાર કરી રહી છે. આથી તેમને પોતાના વિશે જાણવાનો અને પોતાની સ્કિલ પર કામ કરવાનો પણ ચાન્સ મળશે. આ વિશે અપારશક્તિ ખુરાનાએ કહ્યું હતું કે ‘મને એવું લાગે છે કે હવેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુને હળવાશથી નહીં લે. લૉકડાઉન બાદ લોકો જ્યારે પાછું કામ શરૂ કરશે ત્યારે તેઓ પોતાના કામની વધુ વૅલ્યુ કરશે. મને એવી આશા છે કે લોકો લૉકડાઉન બાદ પોતાના સારા વર્ઝન સાથે બહાર આવશે. એકબીજાની ટીકા કરવાના બદલે તેઓ એકબીજાનો રિસ્પેક્ટ કરશે એવી મને આશા છે.’
લૉકડાઉનમાં પોતે કેવી રીતે કામ કરી રહ્યો છે એ વિશે પૂછતાં અપારશક્તિ ખુરાનાએ કહ્યું હતું કે ‘કેટલીક વાર હું સ્ક્રિપ્ટ વાંચું છું અને વિડિયો કૉલ દ્વારા નરેશન સાંભળું છું. આ સાથે જ કુકિંગ પણ શીખી રહ્યો છું. સૉન્ગ કમ્પોઝ કરવામાં સમય ફાળવું છું. આ સાથે જ મારી ફૅમિલી સાથે સમય પસાર કરું છું.’