14 September, 2020 07:29 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
અનુરાગ કશ્યપ
બોલીવુડ એક્ટર (Bollywood Actor) અને (Producer) પ્રૉડ્યૂસર કમાલ (Kamal R Khan) આર ખાન સોશિયલ (Social Media) મીડિયા પર ખૂબ જ એક્ટિવ (Active) છે. તે ઘણીવાર અનેક મુદ્દે ટ્વીટ (Tweet) કરી ચર્ચામાં છવાયેલા રહે છે. જો કે, તાજેતરમાં જ કમાલ આર (Kamal R Khan) ખાન પોતાના એક (Tweet) ટ્વીટને લઈને સતત ચર્ચામાં છે. હકીકતે, કમાલ (Kamal R Khan) આર ખાને બોલીવુડના (Bollywood director Anurag Kashyap) જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપની એક તસવીર પોતાના ટ્વિટર (Twitter) હેન્ડલ પર શૅર કરી હતી. તેની સાથે જ તેમણે એ પણ લખ્યું કે, હવે તેઓ નથી (RIP) રહ્યા.
કમાલ આર ખાને ટ્વીટ કરતા લખ્યું હતું કે, "તે હકીકતે એક મહાન સ્ટોરીટેલર હતા, અમે તમને હંમેશાં યાદ કરશું સર." કમાલ આર ખાનના ટ્વીટનો જવાબ અનુરાગ કશ્યપે ખૂબ જ અનોખા અંદાજમાં આપ્યો છે. તેમણે એક્ટરના ટ્વીટનો આપતાં લખ્યું છે કે, "કાલે યમરાજના દર્શન થયા...આજે યમરાજ પોતે ઘરે પાછા આવીને મૂકી ગયા. કહ્યું હજી તો તારે ઘણી ફિલ્મો બનાવવાની છે. તું ફિલ્મ નહીં બનાવે તો મૂર્ખ/ભક્ત તેનું બૉયકૉટ નહીં કરે, તો તેમનું સાર્થક નહીં થાય. તેમને સાર્થકતા મળે તે માટે પાછો મૂકી ગયા મને."
અનુરાગ કશ્યપના આ જવાબ પર ઘણાં લોકો હવે અનેક કોમેન્ટ્સ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જણાવવાનું કે ડિરેક્ટર અનુરાગ કશ્યપ પણ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ હોય છે અને તે ઘણી વાર અનેક મુદ્દે પોતાનો મત વ્યક્ત કરે છે. એવામાં ઘણી વાર તે ટ્રોલ પણ થઈ જાય છે.