20 September, 2020 07:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ
અનુરાગ કશ્યપે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં 2014ની એક ફિલ્મ હસી તો ફસી બાબતે કહ્યું કે, પરિણીતી ચોપડાને સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કરવુ નહોતું.
પત્રકાર ફાયા ડીસોઝા સાથે વાતચીત કરતા અનુરાગ કશ્યપે કહ્યું કે, અમે આ ફિલ્મ માટે એક્ટ્રેસની શોધમાં હતા અને અમે પરિણીતી ચોપડાને ઓફર આપી તો તેણે સામે જવાબ આપ્યો કે હું ટેલીવીઝન એક્ટર સાથે કામ નહીં કરું. અમે તેને સમજાવ્યું કે સુશાંતે કાય પો છે, પીકે જેવી ફિલ્મમાં કામ કરી રહ્યો છે તેથી તે ફક્ત ટેલીવીઝન એક્ટર નથી.
કશ્યપે ઉમેર્યું કે, તેણે શુદ્ધ દેશી રોમેન્સમાં કામ કર્યું પણ આ ફિલ્મમાં શા માટે નથી કરવું. તેણે આ ફિલ્મ કરતા પહેલા YRFને પણ આમ કહ્યું જ હશે.
કશ્યપે કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતે છ બ્લોક બસ્ટર આપી છે. ત્યારબાદ તેની ફિલ્મ નહીં ચાલતા તે ડિપ્રેશનમાં આવ્યો હતો. મોટા ભાગના લોકોને ખબર નહોતી કે સુશાંત કેવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.