અનુરાગ બાસુની નેક્સ્ટ ફિલ્મમાં નવોદિતોને તક

24 October, 2012 05:34 AM IST  | 

અનુરાગ બાસુની નેક્સ્ટ ફિલ્મમાં નવોદિતોને તક



ડિરેક્ટર અનુરાગ બાસુની ‘બર્ફી’ને મળેલી ભારે સફળતાને પગલે તેઓ પાછા ચર્ચામાં આવી ગયા છે. અનુરાગની આ ફિલ્મને ઑસ્કર અવૉર્ડ્સ માટે પસંદ કરવામાં આવી છે અને તેમણે ગાયક કિશોરકુમારના જીવન પરથી બનાવવા ધારેલી આગામી ફિલ્મના હીરો તરીકે રણબીર કપૂરને પણ સાઇન કરી લીધો છે. જોકે અનુરાગ આ ફિલ્મ પહેલાં જે ફિલ્મ બનાવવા માગે છે એ માટે તેઓ નવોદિતોને તક આપવા માગે છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં બૉલીવુડમાં બધા સ્ટાર્સનું ટાઇમટેબલ ભરચક હોવાને કારણે તેમની સાથે ફિલ્મ બનાવવા માટે છથી આઠ મહિના જેટલો લાંબો સમય રાહ જોવી પડે એમ હોવાથી અનુરાગે આ નિર્ણય લીધો છે.