રણબીર તારીખ ન આપે તો અન્ય ઍક્ટરને લઈને અનુરાગ બાસુ કિશોરકુમારની બાયોપિક બનાવશે

22 May, 2017 07:29 AM IST  | 

રણબીર તારીખ ન આપે તો અન્ય ઍક્ટરને લઈને અનુરાગ બાસુ કિશોરકુમારની બાયોપિક બનાવશે

રણબીર હાલમાં સંજય દત્તની બાયોપિકનું શૂટિંગ કરી રહ્યો છે અને એ ફિલ્મ બાદ તે આલિયા ભટ્ટ સાથેની ‘ડ્રૅગન’નું શૂટિંગ શરૂ કરશે. અનુરાગ બાસુએ કિશોરકુમારની બાયોપિકની ઘણા સમય પહેલાં જાહેરાત કરી હતી, જે હજી સુધી શરૂ કરવામાં નથી આવી. આ વિશે અનુરાગ બાસુએ કહ્યું હતું કે ‘હું આ ફિલ્મ માટે હવે વધુ રાહ જોઈ શકું એમ નથી. જો હવે રણબીર મને તેની તારીખ ન આપે તો હું અન્ય ઍક્ટરને લઈને આ ફિલ્મ શરૂ કરીશ.’