ન્યુ ઍમ્સ્ટરડેમને 3 માટે વધારવામાં આવતાં ખુશી વ્યક્ત કરી અનુપમ ખેરે

18 January, 2020 02:27 PM IST  |  Mumbai

ન્યુ ઍમ્સ્ટરડેમને 3 માટે વધારવામાં આવતાં ખુશી વ્યક્ત કરી અનુપમ ખેરે

અનુપમ ખેર

અનુપમ ખેરની અમેરિકાની મેડિકલ ડ્રામા સિરિયલ ‘ન્યુ ઍમસ્ટરડેમ’ને ત્રણ સીઝન માટે વધારવામાં આવતા તેમણે ખુશી વ્યક્ત કરી છે. અનુપમ ખેર એક ગ્લોબલ આઇકન હોવાથી તેમની લોકપ્રિયતાથી સૌ કોઈ જાણીતા છે. બૉલીવુડ સિવાય હૉલીવુડમાં પણ તેઓ ખૂબ પ્રચલિત છે. એવામાં ‘ન્યુ ઍમસ્ટરડેમ’ને ત્રણ સીઝન માટે વધારવી એ તેમનાં ફૅન્સ માટે એક ખુશીની વાત છે. ‘ધીસ ઇઝ અસ’ અને ‘બ્રુકલીન નાઇન-નાઇન’ બાદ આ ત્રીજો અમેરિકન શો છે જેને આટલો લાંબો ખેંચવામાં આવ્યો હોય. અનુપમ ખેર આ શો માં ડૉક્ટર વિજય કપૂરનાં પાત્રમાં જોવા મળી રહ્યા છે. દર્શકોને તેમનું આ પાત્ર ખૂબ પસંદ પડી રહ્યુ છે. એ સંદર્ભે ખુશી વ્યક્ત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘અમેરિકાનાં સૌથી મોટા શો ‘ન્યુ ઍમસ્ટરડેમ’માં સામેલ થવાથી ખૂબ સારુ લાગે છે. અમારા શોને પાંચ સીઝન સુધી વધારવી એ એક મોટી સિદ્ધિ છે. શોમાં જોડાવાથી હું સન્માનિત અનુભવુ છું કેમ કે એણે મને ડૉક્ટર વિજય કપૂર તરીકે એક નવી ઓળખ આપી છે. ઇન્ટરનૅશનલ ક્ષેત્રે મને કામ કરવાની તક મળી એના માટે હું ભારતીય સિનેમાનો આભાર માનું છું.’

anupam kher bollywood news