24 June, 2026 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમે આ વિચારને ‘સત્ય’ એવા કૅપ્શન સાથે શૅર કર્યો છે
અનુપમ ખેર સોશ્યલ મીડિયા પર અવારનવાર પ્રેરણાદાયી અને જીવનના સત્યને દર્શાવતા વિચારો પોતાના ફૅન્સ સાથે શૅર કરતા રહે છે. હાલમાં તેમણે એક ખાસ વિચાર શૅર કર્યો છે જેનો મતલબ થાય છે ‘મદદ એક એવી ઘટના છે જે તમે કરો તો લોકો અવારનવાર ભૂલી જાય છે અને... જો તમે ન કરો તો લોકો હંમેશાં યાદ રાખે છે.’
અનુપમે આ વિચારને ‘સત્ય’ એવા કૅપ્શન સાથે શૅર કર્યો છે. આ વિચાર માનવસ્વભાવની એક કડવી વાસ્તવિકતા દર્શાવે છે.