19 March, 2020 06:41 PM IST | Mumbai Desk | Mumbai Correspondent
અમ્રિતા પ્રકાશ
અમ્રિતા પ્રકાશ જલદી જ સોની ચૅનલ પર આવતા ‘પટિયાલા બેબ્સ’માં જોવા મળવાની છે. આ શો બે બહેનોની રિલેશનશિપને દેખાડે છે. શોમાં અશનુર કૌર અને સાઈશા બજાજ લીડ રોલમાં છે. મિનીનું પાત્ર ભજવતી અશનુર તેની મમ્મી અને સાવકા પિતાના મૃત્યુ બાદ તેની સાવકી બહેન આર્યા એટલે કે સાઈશાની દેખભાળ કરે છે. સૌરભ રાજ જૈન પણ આ શોમાં શેફ નીલના રોલમાં જોવા મળી રહ્યો છે. હવે તેની વાઇફ ઈશાના રોલમાં અમ્રિતા જોવા મળવાની છે. આ શો વિશે જણાવતાં અમ્રિતાએ કહ્યું હતું કે ‘હું ખૂબ જ ખુશ છું કે ટૂંક સમયમાં હું ‘પટિયાલા બેબ્સ’માં જોવા મળવાની છું. આ શો ઇન્ડિયન ટેલિવિઝન પર એક તાજગીભર્યો અહેસાસ કરાવે છે. આ શો જોવો એક અલગ અને રિફ્રેશિંગ અનુભવ છે. આ શોની પૂરી ટીમ અને કાસ્ટને મળવા માટે હું ખૂબ ઉત્સાહિત છું. મેં સૌરભ અને અશનુરનું કામ જોયું છે. તેઓ પોતાનાં પાત્રોને ખૂબ જ સચોટતાથી ભજવી રહ્યાં છે. હું વેરભાવની વૃત્તિ ધરાવતી નીલની પત્નીના રોલમાં જોવા મળવાની છું. તે એમ માને છે કે તે જે કંઈ પણ કરે છે એ યોગ્ય જ હોય છે. હું એ કૅરૅક્ટર ભજવવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું, કારણ કે હું રિયલ લાઇફમાં જેવી છું એના કરતાં આ પાત્ર એકદમ અલગ છે. ટૂંકમાં કહું તો હું આશા રાખું છું કે આ શોના માધ્યમથી હું લોકો પર છાપ છોડવામાં સફળ રહું. સાથે જ ‘પટિયાલા બેબ્સ’ની સાથે મારી જર્ની શરૂ કરવા માટે પણ હું ઉત્સાહિત છું.’