01 March, 2021 12:54 PM IST | New Delhi | Agencies
અમિતાભ બચ્ચનની તબિયત બગડતાં થશે સર્જરી
અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ થતાં સર્જરી કરવામાં આવશે. જોકે તેમને શું થયું છે અને શાની સર્જરી થશે એની ચોક્કસ માહિતી નથી મળી. અમિતાભ બચ્ચન હાલમાં અનેક ફિલ્મોમાં સક્રિય છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ ખૂબ ઍક્ટિવ રહે છે. સર્જરીની માહિતી તેમણે આપતાં ફૅન્સ ખૂબ ચિંતિત બની ગયા છે. સૌકોઈ તેમના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે. બ્લૉગ પર અમિતાભ બચ્ચને લખ્યું હતું કે ‘મેડિકલ કન્ડિશન.. સર્જરી.. વધુ નથી લખી શકતો.’