પહેલેથી જ મને રાજા-રાણીની સ્ટોરીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો : માનુષી છિલ્લર

04 March, 2020 12:12 PM IST  |  Mumbai | Harsh Desai

પહેલેથી જ મને રાજા-રાણીની સ્ટોરીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો : માનુષી છિલ્લર

માનુષી છિલ્લર

માનુષી છિલ્લરનું કહેવું છે કે તેને હંમેશાંથી રાજા-રાણીની સ્ટોરીમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ પડ્યો છે. યશરાજ ફિલ્મની અક્ષયકુમાર સાથેની ‘પૃથ્વીરાજ’ દ્વારા તે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં તે રાજપૂત પ્રિન્સેસ સંયોગિતાનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં માનુષીએ કહ્યું હતું કે ‘મને પહેલેથી જ ઇતિહાસમાં ખૂબ જ રસ હતો. મોટા-મોટા રાજમહેલ અને કિંગડમ તેમ જ તેમની બહાદુરીની ગાથામાં મને ખૂબ જ રસ હતો. પૃથ્વીરાજ અને સંયોગિતાની સ્ટોરી પણ મને ખૂબ જ પસંદ હતી. મને જ્યારે યશરાજ દ્વારા આ ફિલ્મ ઑફર કરવામાં આવી ત્યારે મને લાગ્યું કે લાઇફ જાણે ફુલ સર્કલ જેવી છે.

આ પણ વાંચો : મહિલાઓ માટે ફિલ્મના સેટ આજે ખૂબ જ સેફ બની ગયા છે : કાજોલ

હું જ્યારે ફિલ્મનું નરેશન સાંભળી રહી હતી ત્યારે પણ મારા ચહેરા પર સ્માઇલ આવી જતી હતી, કારણ કે આ સ્ટોરી સ્કૂલમાં પણ મને ખૂબ જ પસંદ હતી. ઇન્ડિયાના ઇતિહાસમાં પૃથ્વીરાજ અને સંયોગિતાની સ્ટોરી પણ ખૂબ જ સુંદર છે અને મને ખુશી છે કે તેને સ્ક્રીન પર જીવંત કરવાની મને તક મળી છે.’

manushi chhillar bollywood news entertainment news harsh desai