20 July, 2020 08:25 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent
આલિયા ભટ્ટ પિતા મહેશ ભટ્ટ સાથે
સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના નિધન બાદ આલિયા ભટ્ટ(Alia Bhatt), મહેશ ભટ્ટ(Mahesh Bhatt), કરણ જોહર(Karan Johar) અને સલમાન ખાન(Salman Khan) જેવા ઘણાં સેલેબ્સને ટારગેટ કરવામાં આવ્યા હતા. જો કે, કરણ જોહર, આલિયા અને મહેશ ભટ્ટે આ મામલે કોઇપણ નિવેદન આપ્યું નહોતું. પણ તાજેતરમાં જ આલિયા ભટ્ટે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરી જેમાં તેણે લખ્યું છે કે, "સત્ય જ સત્ય હોય છે, ભલે તેના પર કોઇ વિશ્વાસ કરે કે ન કરે. અસત્ય એક અસત્ય જ હોય છે, ભલે તેના પર બધાં વિશ્વાસ કરે."
આલિયાએ આ પોસ્ટ કંગનાના ઇન્ટરવ્યૂ પછી શૅર કરી છે જેના પછી એવું માનવામાં આવી રહ્યું છે કે તેણે આ મામલે જ પોસ્ટ શૅર કરી છે.
આલિયાની પ્રૉફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો ટૂંક સમયમાં જ આલિયા પિતા મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સડક 2'માં દેખાવાની છે. આ ફિલ્મ દ્વારા ઘણાં સમય બાદ મહેશ ભટ્ટ નિર્દેશક તરીકે કમબૅક કરી રહ્યા છે. ફિલ્મ ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર પર રિલીઝ થશે. આની જાહેરાત એક વિશેષ લાઇવ ઇવેન્ટ દરમિયાન કરવામાં આવી. જેમાં આલિયા ભટ્ટ, અજય દેવગન, અક્ષય કુમાર, વરુણ ધવન અને અભિષેક બચ્ચન હાજર રહ્યા હતા.
'સડક 2'નું પોસ્ટર શૅર કરતી વખતે આલિયા ખૂબ જ ઉત્સાહિત હતી. આલિયાએ કહ્યું હતું કે, "સડક 2 હકીકતે ઘરે પાછાં ફરવું છે. આ પહેલી ફિલ્મનું કન્ટીન્યૂએશન છે."
'સડક 2'ના પોસ્ટરમાં કોઇ પાત્ર બતાવવામાં આવ્યા નથી. આમાં ફક્ત કૈલાશ પર્વત દેખાય છે.
આ વિશે પૂછવામાં આવતાં આલિયાએ કહ્યું કે, "કૈલાશ પર્વતમાં દેવતાઓ અને ઋષિઓના પદચિહ્ન છે. આ બધાં દેવોના દેવ ભગવાન શિવનું નિવાસ સ્થાન છે. શું હકીકતે આ પવિત્ર સ્થાન પર અભિનેતાઓની જરૂરિયાત છે. આ એ જગ્યા છે જ્યાં બધાંની શોધ પૂરી થાય છે. 'સડક 2' પ્રેમ કરવાનો માર્ગ છે."
આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, આદિત્ય રૉય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટ લીડ રોલમાં છે.